• ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
  • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
  • પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
  • ભક્તિ માં બાળક, કર્મ માં યુવાન અને જ્ઞાન માં વૃદ્ધ બનો.

Monday, October 25, 2010

બિચારું બાળક!!!!

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો  બાળકો  આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો િષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શુ માંગશો???” 
 બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા  નિબંધો ઘેર તપાસવા લઇ ગયાસાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડ રહ્યા હતા. 
તેમણે  પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???” 
 શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” 
તેમના પતિને  એક  કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓતમે પણ  નિબંધ વાંચી જુઓતેમના પતિએ નિબં વાંચ્યો.  તેમાં તે બાળકે લખ્યુ હતું
” 
હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું  હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) 
બનાવી  
દે.  હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છુંહું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું  છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોયમારી આસપાસ મારાં કુટુંબના તમામ સભ્યો હોય. અને સાચ્ચે  હું ગંભીર રીતે  કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું  હું મારા તરફ  ધ્યાન ખેંચી શકુંતેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને  એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો  પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભા રાખે છે તેમ મારી પણ સંભાળ રાખેજ્યારે પપ્પા કામ પરથી ઘે આવે  ત્યારે  તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને  જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું  અનુભવવા માંગું છું કે બધી  વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખઆનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.  શિક્ષિકાની આંખોમાંથી ચોધા આંસુ વહી રહ્યાં હતાંતેમના પતિ બોલ્યા,”હે  ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!! 
 શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,  નિબંધ આપણા દીકરાએ લખેલો છે.